ભારતીય ટીમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ એન્કલની ઈજા બાદ રીકવર કરી રહ્યા છે. તેમની સર્જરી પૂરી થઈ ચૂકી છે. તેઓએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. આ સાથે તેઓએ એમ પણ કહ્યું કે તે જલ્દી મેદાન પર પરત આવશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાની સામે ટી20 મેચના સમયે સૂર્યકુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તેમના એન્કલમાં ઈજા થઈ હતી અને આ ઈજા એટલી વધારે હતી કે તેમને ઊંચકીને મેદાનની બહાર લઈ જવા પડ્યા હતા. તેમના લિગામેન્ટ્સ ફાટી ગયા હચા અને તેમને સર્જરી કરાવવી પડી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટ
સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે સર્જરી થઈ છે, મારી ચિંતા અને મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા માટે તમામનો આભારી છું. હું તમને જણાવતા આનંદ અનુભવું છું કે હું ખુશ છું કે હું જલ્દી પરત આવી શકીશ.
જોહાનિસબર્ગ ટી20માં થયા ઘાયલ
દક્ષિણ આફ્રિકાની સામે 3 મેચની ટી20 સીરીઝની છેલ્લી મેચમાં ફિલ્ડિંગ સમયે સૂર્યાનો પગ વળી ગયો હતો. તેમાં પહેલી ઈનિંગમાં સૂર્યાએ લાજવાબ શતક લગાવ્યું હતું. આ પછી દ.આફ્રિફાની બેટિંગ આવી તો ત્રીજી ઓવરમાં પ્રોટિયાઝ બેટ્સમેને લગાવેલા એક શોટને રોકીને બોલને થ્રો કર્યો આ સમયે તેમને ઈજા થઈ. આ પછી તેમને તરત ફિઝિયોની મદદથી મેદાનની બહાર લઈ જવાયા હતા. મેચના બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં સૂર્યકુમાર યાદવ એમ કહેતા જોવા મળ્યા કે હું ઠીક છું. હું ચાલી શકું છું એટલે કે ઈજા વધારે ગંભીર નથી.
સૂર્યકુમાર યાદવ જ્યારે આફ્રિકા પ્રવાસેથી ભારત આવ્યા તો તેના એન્કલમાં ઈજા થતા સ્કેનિંગ કરાયું. તેમાં ગ્રેડ-2 સ્તરનું ટિયર ફાટ્યું. આ પછી તે સ્પષ્ટ થયું કે આ ખેલાડી હવે લાંબા સમય સુધી પરત આવી શકશે નહીં. આ કારણે પણ તેઓ દ. આફ્રિકાની સામે વનડે અને અફઘાનિસ્તાનની સામે ટી20 સીરીઝથી બહાર છે.