અયોધ્યામાં આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અવસર પર મોટા નેતાઓ અને હસ્તીઓ અયોધ્યા પહોંચી ગયા હતા. આ પ્રસંગે આલિયા ભટ્ટ સુંદર સાડી પહેરીને પહોંચી હતી. પરંતુ તેની સાથે તેની સાડીની એક બીજી ખાસિયત પણ છે, ચાલો જાણીએ તેના વિશે.
અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પ્રખ્યાત રાજકીય નેતાઓ અને બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.
જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ પ્રસંગે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ પહોંચ્યા હતા. આ ખાસ અવસર પર આલિયા ભટ્ટે ખૂબ જ સુંદર સાડી પહેરી હતી. આ સાથે તેની સાડી પણ ખૂબ ચર્ચામાં છે.
બોલિવૂડ સ્ટાર્સ હંમેશા પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તેઓ કોઈપણ ખાસ પ્રસંગ માટે ખાસ વસ્ત્રો પરિધાન કરે છે. એ જ રીતે આલિયા ભટ્ટે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ખાસ બ્લુ રંગની સાડી પહેરી હતી.
આ સાડી દેખાવમાં સાવ સાદી હતી, તેના પર કોઈ પ્રિન્ટ અથવા ડિઝાઇન નથી. પરંતુ તેની બોર્ડર પર રામાયણ સાથે જોડાયેલા કેટલાક ખાસ દ્રશ્યો જોવા મળે છે. આ સાથે તેણે બ્લુ કલરની પ્રિન્ટેડ શાલ પહેરી છે. આલિયાનો આ આઉટફિટ બધાને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ઉપરાંત તે આ ટ્રેડિશનલ લુકમાં પણ એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે.
આ સાથે રણબીર કપૂર પણ સફેદ રંગનો કુર્તા પાયજામા પહેરીને જોવા મળ્યો હતો અને તેની સાથે તેણે સફેદ રંગની શાલ પણ પહેરી હતી. તે બંને દેશી તેમજ સ્ટાઇલિશ લાગતા હતા. રોહિત શેટ્ટી અને વિકી કૌશલે પણ કુર્તા પાયજામા પહેર્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પહોંચેલા મોટાભાગના સ્ટાર્સ ટ્રેડિશનલ લૂક પહેરીને પહોંચ્યા હતા.