કોઈ વ્યક્તિને વારંવાર થાક લાગે અથવા ચક્કર આવવા લાગે, ત્વચા પીળી પડવા લાગે અને જોવામાં પણ સમસ્યા જણાય તો તમને લોહીની ઉણપ છે. તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપને કારણે તમને આ સમસ્યાઓ થઈ રહી છે. વિટામિન B12 નર્વસ સિસ્ટમના કામમાં મદદરૂપ થાય છે. જાણો, શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય તો કેવા લક્ષણો દેખાય છે અને તેની ઉણપને દૂર કરવા માટે શું કરવું જોઈએ.
શરીરમાં આ લક્ષણો જોવા મળશે
- માથાનો દુ:ખાવો
- ઊબકા આવવા
- મોઢામાં છાલા પડવા
- મોઢામાંથી વધુ પ્રમાણમાં લાળ પડવી
- જમવામાં સ્વાદ ન આવવો
- વજન ઘટવું
- પેટને લગતી સમસ્યાઓ થવી
- તમારા વાળ ખરવા લાગે
- નખ તૂટવા લાગે છે
- ઊંઘને લઈને સમસ્યાઓ જણાય
વિટામિન B12 ની ઉણપના કારણે આ બીમારીઓ થઈ શકે છે
- તમને એનિમિયા થઈ શકે છે
- હાડકાને લગતી બીમારીઓ થઈ શકે છે
- ડિમેન્શિયા
- તમારું નર્વસ સિસ્ટમ ખરાબ થવું
- ગર્ભવતી અને બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓને નુકસાન થઈ શકે છે
વિટામિન B12
શરીરમાં વિટામિન B12 નું નિર્માણ કુદરતી રીતે નથી થતું. તમારા ખાનપાન ઉપર વિટામિન B12 નિર્ભર કરે છે. લાલ રક્ત કણોના નિર્માણ માટે વિટામિન B12 જરૂરી માનવામાં આવે છે. વિટામિન B12 તમારા મગજ અને ચેતા કોષો માટે જરૂરી છે. વિટામિન B12 શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. વધતી જતી ઉંમર સાથે વિટામિન B12 ની ઉણપ થવા લાગે તો ડિમેન્શિયાની બીમારી થઈ શકે છે. તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય તો તમે વિટામિન B12 ની ગોળીઓ લઈ શકો છો.
વિટામિન B12 ની ઉણપને દૂર કરવા તમારા આહારમાં આ વસ્તુઓને સામેલ કરો
- દૂધનું સેવન કરો
- માછલી ખાઓ
- ઈંડા
- દહીં
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)